Monday, November 28, 2016

Raja Aur Praja

એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો. રાજ્યમાં કોઈ પ્રજા દુઃખી ન હતી. રાજા ને વિચાર આવ્યો કે મારા રાજ્યમાં રહેતી પ્રજા કોઈપણ પ્રકારની ફરિયાદ કેમ કરતી નથી. એ જાણવા માટે તેમને પ્રધાન મંડલ બોલાવ્યું અને એ બાબતે ચર્ચા થઈ કે શું કરીએ કે પ્રજા ફરિયાદ કરે?
જે માટે નક્કી કરવા માં આવ્યું કે આજે પુરા રાજ્યમાં પાણીનો પુરવઠો બંધ કરવા માં આવે...
નક્કી કર્યા મુજબ પાણી નો પુરવઠો બંધ કરવામાં આવ્યો.પ્રજા ફરિયાદ કરવાને બદલે તળાવમાંથી પાણી ભરવા લાગ્યા.
રાજા પાસે કોઈ ફરિયાદ કરવા ગયું નહિ.
રાજા પરેશાન થઇ ગયા.
તરત જ રાજ્ય ની ગટર લાઈન કાપી નાખવામાં આવી. પ્રજા ફરિયાદ કરવાને બદલે ખેતરમાં સંડાસ જાવા  લાગ્યા.
જેથી રાજાએ નક્કી કર્યું કે રાજ્યની બહાર કે અંદર આવતા માણસોને બે-બે ડંડા મારવા...
તે મુજબ રાજ્યની અંદર અને બહાર જતા માણસો ને બે-બે ડંડા મારવા માટે રસ્તા ઉપર બે માણસો રાખવામાં આવ્યા અને એક ફરિયાદ પેટી રાખવામાં આવી.
સવાર પડતા રાજ્ય ની બહાર જાવા અને અંદર આવવાની લાઈન લાગવા લાગી લોકો બે-બે દંડા ખાધા પછી પોતાના કામે જાવા લાગ્યો.. 
રાજાએ પ્રજાને કોઈ તકલીફ પડે તો ફરિયાદ કરવા ફરિયાદ પેટી મૂકી. લાંબા સમયે એક ફરિયાદ આવી. રાજા ખુશ થઇ ગયા કે, મારા રાજ્યમાં એક માણસ તો ફરિયાદ કરવા વાળો છે....
રાજાએ ફરિયાદ વાંચી જેમાં લખ્યું હતું કે,
રાજાજી તમે રાજ્યની બહાર આવવા જાવા માટે જે બે-બેદંડા મારો છો તેનો વાંધો નથી,
જો માણસો થોડા વધારે રાખો તો લાઈનો આછી થાય અને રાજ્યની પ્રજાને સરળતા રહે.
આવી જ હાલત આજ ભારત ની જનતાની છે.
સમજ પડે તો સેર કરજો...